કોમ્પ્યુટરનો પરિચય

કોમ્પ્યુટર શું છે?
       કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનીક મશીન છે જે માહિતીનો સંગ્રહ કરી શકે છે તેમજ સંગ્રહ કરેલી માહિતીને ફરી મેળવી પણ શકે છે. તેમજ આ માહિતી ઉપર તે કોઇ પણ પ્રક્રિયા ચોક્કસાઇપૂર્વક અને ઝડપથી કરી શકે છે.

            કોમ્પ્યુટરની આજે વિશ્વમાં ઘણી અસર જોવા મડે છે. કોમ્પ્યુટર આપણા જીવનની એક ઉપયોગી વસ્તું બની ગઇ છે. કોમ્પ્યુટર આપણને ઘણી બધી સેવાઓ આપે છે જેવી કે શિક્ષણ ક્ષેત્રે,  બેંકીંગ ક્ષેત્રે, તબીબી નિદાન ક્ષેત્રે, હવામાનની આગાહીમાં, એરલાઇન્સ અને રિઝ્ર્વેશન વગેરે. કોમ્પ્યુટરનાં ઉપયોગથી આપણું જીવન ઘણુ સરળ બન્યુ છે તેમજ આપણા કામો ઘણા ઝડપી અને ચોક્સાઇથી થાઇ જાય છે.
        કોમ્પ્યુટર આપણાથી વધું બુધ્ધિશાળી અને માહિતીગાર મશીન છે, પરંતુ કોમ્પ્યુટર જાતે કોઇ કાર્ય કરી શકતું નથી તેના કાર્ય માટે તેને ચોક્કસ સુચના આપવી પડે છે. કોમ્પ્યુટરની ઉત્ક્રાંતિ માનવીની ગણતરી કરવાની જરૂરીયાત સાથે થઇ હતી.

કોમ્પ્યુટરની લાક્ષણીકતાઓ

1)  ઝડપ : કોઇ પણ પ્રક્રીયા કોમ્પુટર એકદમ ઝડપી કરી શકે છે. કોમ્પુટરની શોધ એક ઝડપી કેલ્ક્યુલેટર તરીકે થઈ હતી. ઇલેક્ટ્રોનીક સિગ્નલો એકદમ ઝડપથી વહે છે. કોમ્પુટરની પ્રક્રીયા સેકન્ડ કે મિલિસેકન્ડમાં નહિં પરંતુ માઇક્રોસેકન્ડમાં થાય છે, તેથી તે ઝડપથી કાર્ય કરી શકે છે.
2)  સંગ્રહશક્તિ : કોમ્પુટરને જે માહિતીઆપવામાં આવે છે તે બધી માહિતીનો સંગ્રહ કરી શકે છે. કોમ્પુટરમાં સી.પી.યુ. મા મેમરીમા મહિતીનો સંગ્રહ થાય છે. આ મેમરીમાં માહિતી કોમ્પુટર ચાલુ હોય ત્યાં સુધી રહે છે. જો આવી મહિતીને કોમ્પુટર બંધ થઇ જાય ત્યારબાદ પણ સંગ્રહ કરી રાખવી હોય તો તે માહિતીને સેકન્ડરી સ્ટોરેજ કે એક્ષ્ટર્નલ મેમરીમાં રાખવુ પડે છે.
3)  ચોક્કસાઇ : કોમ્પુટર કોઇ પણ કામ એકદમ ચોક્કસાઇ પૂર્વક કરે છે. કોમ્પુટરની મશીનરીમાં ભૂલ આવી શકે છે પરંતુ ભૂલ શોધવાની ટેક્નોલોજીમા વધતી જતી ગુણવત્તાને લીધે ખોટા પરિણામો આવતા નથી. કોમ્પુટર  ખોટા પરિણામ આપી શકતા નથી, જો પ્રોગ્રામર ખોટો પ્રોગ્રામ લખે અથવા ઓપરેટર જો ખોટો ડેટા આપે તો પરિણામ ખોટું આવે છે.
4)  વ્યાપક્તા : કોમ્પુટર કોઇ પણ કામ કરવા માટે શક્તિમાન છે. કોમ્પુટરનાં મુખ્ય કામ જેવા કે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા, અંકગણિતિક પ્રક્રિયા, સી.પી.યુ. ની અંદરની માહિતીની હેરફેર તેમજ તાર્કિક અથવા સરખામણીની પ્રક્રિયા જે આપણી રોજિંદી પ્રકિયા પર આધારિત છે.
5)  સ્વયંમસંચાલન : કોઇ પણ મશીન જાતે ચાલી શકતું નથી તેને ચલવવા માટે માણસની જરૂર પડે છે. પરંતુ જો સૂચનાનું અમલીકરણનો પ્રોગ્રામ કોમ્પુટરની મેમરીમાં હોય તો કોમ્પુટરને છેલ્લી સૂચના ન મળે કે પ્રોગ્રામનું અમલીકરણ બંધ કરવાનું છે ત્યાં સુધી તે જાતે કાર્ય કરી શકે છે.
6)  ખંતીલું : કોમ્પુટર મશીન હોવાને કારણે માણસની જેમ થાકતુ નથી તેમજ તે એકાગ્રતાથી કાર્ય કરી શકે છે. માણસ જ્યારે કોઇ કાર્ય વારંવાર કે વધુ સમય માટે કરે તો તેની એકાગ્રતા ઘટે છે જ્યારે એકાગ્રતાથી કાર્ય કરી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

કોમ્પ્યુટર ના ભાગો

  કોમ્પ્યુટરના ભાગો કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે. ઈન્પુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સીપીયુ (CPU-Centaral Processing...